A Dhiru Purohit Initiative logo A Dhiru Purohit Initiative A Life Lived For Others
પરિચય

A Momentous Journey

પત્રકારત્વ, લેખન, વ્યવસાય અને સામાજિક કાર્યોમાં દાયકાઓની સફર.

શ્રી ધીરુ પુરોહિત — Shri Dhiru Purohit

શ્રી ધીરુ પુરોહિત

શ્રી ધીરુ પુરોહિત

વરિષ્ઠ પત્રકાર લેખક ઉદ્યોગપતિ ટીવી ડિબેટ પેનલિસ્ટ

પત્રકારત્વ, લેખન અને સામાજિક પહેલોમાં દાયકાઓનો અનુભવ ધરાવતા ધીરુ પુરોહિત અનેક ટીવી ચેનલો પર લાઈવ ચર્ચાઓમાં નિષ્ણાત તરીકે નિયમિત ઉપસ્થિત રહે છે.

એક એવું વ્યક્તિત્વ.. જેના માટે જેટલું લખું એટલું ઓછું છે...

જન્મ ઉપલેટા (જી. રાજકોટ) પંથકના વેણુ નદીના ગામ નિલખા ખાતે અને એજ પંથકના કાથરોટાના પુરોહિત પરિવારમાં ઉછર્યા પછી વેણુ નદીના કાંઠે ઉછરેલા આ વ્યક્તિએ જાણે કે જીવનમાં પણ વેણુનાદ કર્યો હોય તેમ ૧૮ વર્ષની ઉંમરે જ ઘર છોડીને અમદાવાદ ભણવા ચાલ્યા ગયા અને પત્રકારત્વને પોતાની કારકિર્દી બનાવી દીધી.

૧૯૮૧થી જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવનાર લોકલ ન્યૂઝ પેપરથી કારકિર્દીની શરૂઆત કરી. ગુજરાત સમાચાર જેવા માતબર પેપરમાં રિપોર્ટિંગ કરી ૩૧ વર્ષથી સંદેશ ન્યૂઝ પેપર સાથે જોડાયેલ છે. પત્રકારત્વની દુનિયામાં વર્ષોના સતત ખેડાણ પછી આજે જૂનાગઢમાં ધીરૂ પુરોહિતનું નામ લોકો આદરથી લે છે. જૂનાગઢનાં લોકોનો અવાજ એટલે ધીરૂ પુરોહિત. આ વાતની સાર્થકતા એ છે કે, જૂનાગઢમાં અગ્રગણ્ય લોકોથી લઈને અદનો આદમી પણ ધીરૂ પુરોહિતને સન્માનપૂર્વક નિહાળે છે. અભિયાન અને ચિત્રલેખા જેવાં વિદેશોમાં પણ વંચાતા માતબર સાપ્તાહિકોમાં પણ ધીરૂ પુરોહિતની કોલમ છપાઈ છે.

વર્ષોથી ગીરમાં સિંહની ખાસિયતોનો અભ્યાસ કર્યા બાદ બે વર્ષના અથાગ પ્રયત્નોથી આજે ખૂબ પોપ્યુલર થયેલ 'સાવજ' પુસ્તક તેમણે લખ્યું છે. સાવજ પુસ્તક લખી એક સારા લેખક તરીકે પણ સાબિત થયા છે.

આ ઉપરાંત વાંચન વલોણું જેવી સંસ્થાને જન્મ આપી જૂનાગઢના લોકોને વાંચનથી પ્રેરિત કરવા મહિનામાં બે વખત જૂનાગઢ એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ઝોન ખાતે પુસ્તક પરબ કરી લોકોને વાંચતા કરવાનો શ્રેય પણ ધીરૂ પુરોહિતના ફાળે જાય છે.

જાણીતી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં વરિષ્ઠ પત્રકાર તરીકે તેઓ ડિબેટ કરી જૂનાગઢ અને સૌરાષ્ટ્રને વાચા આપી રહ્યા છે.

પરિવાર માટે તેઓ જવાબદાર વડીલ તરીકે પોતાની જવાબદારીઓ બખૂબી નિભાવી રહ્યા છે. દીકરા તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, અને બે દીકરીઓના પપ્પા તરીકે, પરિવારને એક સૂત્રતામાં બાંધી રાખવા માટે તેમણે તેમનાથી બનતું બધું યોગદાન આપ્યું છે.

ધીરૂ પુરોહિત પરિવારના શ્વાસ સમાન છે, પરિવારના સભ્યો પણ તેમનાં હોવાથી સલામતી અને સુરક્ષિત હોવાની રાહત અનુભવે છે.

— Pratibha Purohitપત્ની

પત્રકારત્વથી લઈને જ્યોતિ પથ શિષ્યવૃત્તિ સુધી — તેમનું દરેક કાર્ય એક જ વિશ્વાસને આગળ વધારે છે: સમાજમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રકાશ ફેલાવવો.

"દીકરીને ભણાવો — એ એકલી નહીં, આખી પેઢી આગળ વધશે."

પરિવારના શબ્દોમાં

જેમણે તેમને સૌથી નજીકથી જોયા છે, તેમના શબ્દોમાં ધીરુ પુરોહિત.

અન્ય કાર્યો

શિક્ષણ ઉપરાંત, ધીરુ પુરોહિત વાંચન અને લેખન ક્ષેત્રે પણ સક્રિય છે.

📖

વાંચન વલોણું

૨૦૨૩માં જૂનાગઢમાં શરૂ થયેલી વાંચન વલોણું એ સમાજમાં વાંચનની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાની પહેલ છે — પુસ્તક પરબ, પુસ્તક પરિચય અને હરતા ફરતા પુસ્તકાલય જેવા કાર્યક્રમો દ્વારા.

vanchanvalonu.org ની મુલાકાત લો →

સાવજ — પુસ્તકનું કવર

સાવજ

ગીરના અજાણ્યા અને અલભ્ય કિસ્સાઓની રોમાંચક સફર

ગીરના જંગલ અને એશિયાટિક સિંહો વિશેના અજાણ્યા અને દુર્લભ કિસ્સાઓની રોમાંચક સફર કરાવતું આ પુસ્તક ધીરુ પુરોહિત દ્વારા લેખક-સંપાદક તરીકે અને ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય દ્વારા સહસંપાદક તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.

તસવીર ગેલેરી

ધીરુ પુરોહિતના જીવન, કાર્યક્રમો અને પ્રસંગોની ઝલક.